ટામેટાંના કારણે સુનીલ શેટ્ટીએ માંગવી પડી માફી !

  • July 19, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સામાન્ય પરિવારથી લઈને બોલિવૂડ સ્ટાર્સના પરિવારો સુધી ટામેટાંના આસમાની કિંમતની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર જાણે ટામેટાં છવાયેલા છે. આવી સ્થિતિમાં અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ ટામેટાંની વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ટામેટાંની વધતી કિંમતોએ તેના રસોડાને પણ અસર કરી છે, જેના કારણે તેણે ટામેટાં ઓછા ખાવાનું શરૂ કર્યું છે. હવે સુનીલ શેટ્ટીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. કેટલાક લોકો તેમના પર ખેડૂત વિરોધી હોવાનો અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. હવે સુનીલ શેટ્ટીએ આ મામલે માફી માંગી છે.


સુનીલ શેટ્ટીએ અજાણતામાં ખેડૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેમની માફી માંગી છે. અભિનેતા કહે છે કે તેના શબ્દો પર ગેરસમજણ થયું છે પણ તેઓ હંમેશા ખેડૂતોને સમર્થન આપતા રહ્યા છે અને તેમના વિશે નકારાત્મક વિચાર પણ વિચારી શકતા નથી.


સુનીલ શેટ્ટીએ કહ્યું કે તેમણે હંમેશા ખેડૂતોના સમર્થનમાં કામ કર્યું છે અને તેઓ ઈચ્છે છે કે સ્વદેશી ઉત્પાદનોનો પ્રચાર થવો જોઈએ, જેથી ખેડૂતોને સંપૂર્ણ લાભ મળે. અભિનેતાએ કહ્યું કે હોટલ બિઝનેસ હોવાને કારણે ખેડૂતો હંમેશા તેમના જીવનનો એક ભાગ રહ્યા છે અને તેમની સાથે સીધો સંબંધ છે.


અભિનેતાએ વધુમાં કહ્યું કે 'આ રીતે મેં જે કહ્યું નથી તેનાથી જો કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે દિલથી માફી માંગુ છું. હું સપનામાં પણ ખેડૂતો વિરુદ્ધ બોલવાનું વિચારી શકતો નથી. કૃપા કરીને મારા નિવેદનનું ખોટું અર્થઘટન ન કરો.


તાજેતરમાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે તેમની પત્ની ફક્ત 2-3 દિવસ માટે શાકભાજી ખરીદે છે જેથી તે તાજા શાકભાજી ખાઈ શકે, પરંતુ ટામેટાંના આસમાની કિંમત હવે અમારા રસોડામાં પણ અસર કરી રહી છે. તેથી જ આજકાલ ટામેટાં ઓછા ખાવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application