સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામ ખાતેથી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
આ વચ્ચે સ્થાનિક રહેવાસી માલદેભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત તળાવને ઊંડા ઊતરવાની કામગીરી સહિત અનેક કામગીરી કરવામાં આવશે. જેથી ગામમાં જળની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આ જળ સંગ્રહ ક્ષમતા વધવાના કારણે ખેડૂતોને સિંચાઇના અનેક ફાયદાઓ થશે. અને આજુબાજુના વિસ્તારમાં પણ ફાયદો થશે. આ ઉપરાંત તળાવમાંથી નીકળતી માટીને પણ ખેડૂતો લઇ જઇને તેમના ખેતરમાં નાખી શકે જેથી ખેતરમાં ફળદ્રુપતા વધે અને સારા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થઈ શકે.
સરકારના આ અભિયાનથી ખેડૂતોને અનેક ફાયદાઓ થનાર હોવાનું જણાવી, આ અભિયાન બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech