સુરેન્દ્રનગરના રાગપર ગામમાં પરિવારનો સામુહિક આપઘાત..એકસાથે 3 લોકોએ કેનાલમાં ઝંપલાવતા થયું મોત

  • March 10, 2023 07:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં એક પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં કૂદીને જીવ ટૂંકવ્યો છે. હાલ આ મામલેવધુ તપાસ કરી રહી છે.


મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં કૂદીને એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકો દ્વારા અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
​​​​​​​

ફાયર બ્રિગેડે દુધરેજ કેનાલમાંથી તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે, હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application