સ્વામીનારાયણ નગર પાસે જાહેરમાં ચીકન, મચ્છીનું વેંચાણ બંધ કરાવવા મ્યુ.કમિશ્નરને રજૂઆત

  • February 28, 2023 12:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામીનારાયણ નગર વોર્ડ નં.૧૦માં ડ્રીમ સીટી પાસે સ્કુલની નજીક જાહેરમાં ચીકન અને મચ્છીનું વેંચાણ થાય છે તેથી ખુબ જ ગંદકી ફેલાય છે, આ વેંચાણ તાત્કાલીક બંધ કરવાની માંગણી આ વિસ્તારના લતાવાસીઓએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
​​​​​​​ 
આ પત્રમાં જણાવાયું છે કે, આ પ્રકારના વેંચાણના કારણે ખુબ જ ગંદકી ફેલાય છે, શાળાએ જતાં બાળકો ઉપર વિપરીત અસર થાય છે, તાજેતરમાં અદાલતે પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે, આ વિસ્તારમાં જયભીમવાસ, સંત રોહીદાસ શાળા, સંત રોહીદાસ ચોક, સ્વામીનારાયણ નગર  ડ્રીમ સીટી એન્ટ્રી પ્રવેશ દ્વાર પાસે જાહેરમાં ચીકન અને મચ્છીનું વેંચાણ થાય છે અને ન્યુસન્સ ફેલાય છે, આ અંગે આ વિસ્તારના કોર્પોરેટરોને પણ જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application