Video : દિલ્હીમાં મુખર્જીનગરના કોચિંગ ક્લાસમાં આગ લાગતા વિદ્યાર્થીઓ નીચે કુદી પડ્યા

  • June 15, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં તક્ષશીલા કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળી હતી.જેમાં 22 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.કલાસીસમાંથી બહાર નીકળવાના મુખ્ય માર્ગે જ આગ વિકરાળ બની હતી.ધુમાડાના કારણે વિદ્યાર્થીઓ ગૂંગળાઈ ને મરી ગયા હતા.એવી જ એક કિસ્સો દિલ્હીમાં થયો છે જ્યાં મુખર્જીનગરના કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી.વિદ્યાર્થીઓ જીવ બચાવવા નીચે કુદી રહ્યા હતા.બારીમાંથી દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યા હતા.


સુરત તક્ષશીલા કોચિંગ ક્લાસ જેવી ઘટના ફરી બનતા અટકી છે.દિલ્હીમાં મુખર્જીનગરમાં ત્રીજા માળે આવેલ કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળી હતી.મુખ્ય માર્ગે જ આગ વિકરાળ બનતા વિદ્યાર્થીઓને દોરડા વડે બારીમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.આગમાં 4 વિદ્યાર્થીઓના ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જોકે કોઈને કોઈ ગંભીર ઈજા થઈ નથી.


ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 11 ગાડી ઘટના સ્થળે પહોચી હતી. ફાયર બ્રિગેડે મોટાભાગની આગ પર કાબુ મેળવી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઇલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application