પશ્ચિમ બંગાળમાં અસામાજિક તત્વો દ્વરા ‘વંદે ભારત’ ટ્રેન પર પથ્થરમારો

  • January 04, 2023 12:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી “વંદે ભારત એક્સપ્રેસ” ટ્રેનને લીલી ઝંડી આપ્યાના ગણતરીના દિવસો માજ જ તેના પર પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા આ સમગ્ર કેસની તપાસ NIA કરે, તેવી માંગ કરવામાં આવી છે.
​​​​​​​

રેલવેના જણાવ્યા મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. માલદા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર કુમારગંજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનામાં 22303 વંદેભારત એક્સપ્રેસ ટ્રેનના કોચની સંખ્યા સી-13ના કાચ તૂટી ગયા છે.

આ ઘટના સોમવારે સાંજે લગભગ 5:10ની આસપાસ ઘટી હતી, જો કે ટ્રેનને વચ્ચે રોકવામાં આવી નહતી. ટ્રેન માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પોતાના નિર્ધારિત સમયે જ રોકવામાં આવી હતી. હાલ રેલવે પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application