સમર્પણ સર્કલ નજીક રાતોરાત સ્પીડ બ્રેકર ખડકી દેવાતા અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા

  • April 25, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રાતોરાત કોઈપણ પ્રકારની નિશાની કે કલરના પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર ખડકી દેવાતાં અકસ્માત સર્જાયો હતો, અને એક મહિલા ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે.
જામનગરના સમર્પણ સર્કલ થી સ્વામિનારાયણ મંદિર તરફ જવાના માર્ગે સ્વામિનારાયણ મંદિર ના ગેઇટ ની સામે જ ગઈકાલે મોડી રાત્રે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યું છે. જે સ્પેશિફીકેશન મુજબ બનાવ્યું નથી,


ઉપરાંત તેના પર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાવ્યા ના હોવાથી ધ્યાનમાં નહી આવતાં આજે સવારે અકસ્માત સર્જાયો હતો, અને રૂકસાર સદીમ નિહાર નામની ૨૫ વર્ષની મહિલા ને ગંભીર ઈજા થઈ છે, અને તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત સ્પીડ બ્રેકર પર તાત્કાલિક અસરથી પટ્ટા લગાવવામાં નહીં આવે, તો હજુ વધુ અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.'



જામનગરમાં આજે રાજ્યપાલ મુલાકાતે આવ્યા હોવાથી ગઇકાલે બપોર બાદ પોલીસ તંત્ર દ્વારા રીહસલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં મોડી સાંજે કોનવે પૂર્ણ થયા બાદ સર્મપણ સર્કલ પાસે ટ્રાફિકજામ થયો હતો અને આ વેળાએ એકબીજા વાહનો નીકળતા એક ગાડીને અકસ્માત નડ્યો હતો, આથી ચાલક ત્યાંથી નાસવા જતાં પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે આ અંગેની વિગતો જાણી હતી, આમ સ્પીડબે્રકરના કારણે એક અકસ્માત થયો અને જો પટ્ટા લગાડવામાં નહીં આવે તો વધુ અકસ્માતની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application