જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રાતોરાત કોઈપણ પ્રકારની નિશાની કે કલરના પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર ખડકી દેવાતાં અકસ્માત સર્જાયો હતો, અને એક મહિલા ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે.
જામનગરના સમર્પણ સર્કલ થી સ્વામિનારાયણ મંદિર તરફ જવાના માર્ગે સ્વામિનારાયણ મંદિર ના ગેઇટ ની સામે જ ગઈકાલે મોડી રાત્રે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યું છે. જે સ્પેશિફીકેશન મુજબ બનાવ્યું નથી,
ઉપરાંત તેના પર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાવ્યા ના હોવાથી ધ્યાનમાં નહી આવતાં આજે સવારે અકસ્માત સર્જાયો હતો, અને રૂકસાર સદીમ નિહાર નામની ૨૫ વર્ષની મહિલા ને ગંભીર ઈજા થઈ છે, અને તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત સ્પીડ બ્રેકર પર તાત્કાલિક અસરથી પટ્ટા લગાવવામાં નહીં આવે, તો હજુ વધુ અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.'
જામનગરમાં આજે રાજ્યપાલ મુલાકાતે આવ્યા હોવાથી ગઇકાલે બપોર બાદ પોલીસ તંત્ર દ્વારા રીહસલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં મોડી સાંજે કોનવે પૂર્ણ થયા બાદ સર્મપણ સર્કલ પાસે ટ્રાફિકજામ થયો હતો અને આ વેળાએ એકબીજા વાહનો નીકળતા એક ગાડીને અકસ્માત નડ્યો હતો, આથી ચાલક ત્યાંથી નાસવા જતાં પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે આ અંગેની વિગતો જાણી હતી, આમ સ્પીડબે્રકરના કારણે એક અકસ્માત થયો અને જો પટ્ટા લગાડવામાં નહીં આવે તો વધુ અકસ્માતની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech