ટી20 વર્લ્ડ કપ 2024 એ રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની છેલ્લી લીગ છે. આ પછી તે આ પદ પરથી હટી જશે. ટૂર્નામેન્ટ સાથે ટીમ ઈન્ડિયાની સફર પૂરી થતાં જ મુખ્ય કોચ તરીકે દ્રવિડની જવાબદારી પણ ખતમ થઈ જશે. આ પછી, ટીમ ઈન્ડિયાને નવો મુખ્ય કોચ મળશે, જેની જાહેરાત જૂનના અંતિમ સપ્તાહમાં થવાની આશા છે. આ નવા મુખ્ય કોચ અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર હશે.
ગૌતમ ગંભીરના નામને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ અને ગૌતમ ગંભીર વચ્ચે ડીલ થઈ છે. એ પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે ગૌતમ ગંભીર આગામી મુખ્ય કોચ હશે. તેના નામની સત્તાવાર જાહેરાત T20 વર્લ્ડ કપ 2024 બાદ કરવામાં આવશે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું છે કે બોર્ડ અને ગંભીર વચ્ચે ચર્ચા થઈ છે. તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે.
જો કે ગૌતમ ગંભીર સાથે સપોર્ટ સ્ટાફમાં કોણ હશે તે હજુ સામે આવ્યું નથી. હાલમાં, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ છે, બોલિંગ કોચ છે પારસ મહામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ છે. ગંભીર પોતે તેના સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. રાહુલ દ્રવિડે પણ આવું જ કર્યું હતું, કારણ કે રવિ શાસ્ત્રીની ટીમમાં તેમની પહેલાં સંજય બાંગર બેટિંગ કોચ હતા, ભરત અરુણ બોલિંગ કોચ હતા અને આર શ્રીધર ફિલ્ડિંગ કોચ હતા.
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર થશે એટલું જ નહીં, ટીમમાં પણ ફેરફારની શક્યતા છે, કારણ કે ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ રાહુલ દ્રવિડ કરતા અલગ છે. દ્રવિડ સંયમ ધરાવતો માણસ છે, પરંતુ ગંભીર આક્રમક ક્રિકેટને પસંદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech