અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ છુટતા પરિવારે આ રીતે માનવી ખુશી  

  • April 28, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દસ વર્ષ પહેલા 3 જૂન 2013ના રોજ અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ તેના ઘરે આત્મહત્યા કરી હતી. જિયાના મૃત્યુ પછી, તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલી તેના મૃત્યુ માટે જવાબદાર હોવાનું કહેવાય છે, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આ કેસ છેલ્લા દસ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.


આજ રોજ, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, જેમાં સૂરજ પંચોલીને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો. આવા સંજોગોમાં પંચોલી પરિવારમાં ખુશીનો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. અભિનેતા અને તેના પરિવાર માટે આજનો દિવસ મોટો છે. 10 વર્ષથી ચાલી રહેલા જીયા ખાન આત્મહત્યા કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલતે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે.


પુત્રની જીત બાદ અભિનેતાની માતા ઝરીના વહાબ ખૂબ જ ખુશ છે. એટલું જ નહીં, સૂરજ પંચોલીના પરિવાર અને તેની ટીમ દ્વારા મીડિયાને મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી. કેટલાક લોકો મીડિયાને મીઠાઈના બોક્સ આપતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- સૂરજ પંચોલીની ટીમે જિયા ખાન ડેથ કેસમાં ચુકાદો આવ્યા બાદ મીડિયાને મીઠાઈઓ વહેંચી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application