સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથે લગ્ન પર આપ્યું ચોકાવનારું નિવેદન

  • January 13, 2023 01:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ મિશન મજનૂને લઈને ચર્ચામાં છે. આમાં તે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. આ દિવસોમાં સિદ્ધાર્થ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય અભિનેતા ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથેના લગ્નને લઈને પણ ચર્ચામાં છે. બંનેના લગ્નના ફંક્શનની તારીખોથી લઈને સ્થળ સુધીની માહિતી સામે આવી છે. હવે આ અહેવાલો પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથેના લગ્નના સમાચાર પર તેની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, 'મને લગ્નમાં કોઈએ આમંત્રણ આપ્યું નથી. મેં બધી વિગતો વાંચી છે, પછી મને જાતે જ ખબર પડી કે હું લગ્ન કરવા જઈ રહ્યો છું. આ પછી તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો તેની ફિલ્મો પર ધ્યાન આપે.

થોડા દિવસો પહેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે 'સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા સમારંભો યોજાશે. 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સુરક્ષા વચ્ચે આ એક શાનદાર ઈવેન્ટ હશે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂમાં તે જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. અગાઉ તે થેંક ગોડ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે કામ કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application