દિલ્હીની વિવાદોને વરેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે ફરી એકવાર નવો વિવાદ જોવા મળ્યો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યો અને ડાબેરીઓ વચ્ચે શિવાજી જયંતિ નિમિત્તે JNU વિદ્યાર્થી સંઘની ઓફિસમાં ઘર્ષણ થયું હોવાના સમાચાર છે. ABVPનો આરોપ છે કે ડાબેરી કાર્યકર્તાઓએ શિવાજી મહારાજની તસવીર પરથી માળા કાઢીને નીચે ફેંકી દીધી હતી. બીજી તરફ ડાબેરીઓએ એબીવીપીના કાર્યકરો પર મારપીટનો આરોપ લગાવ્યો છે.
ABVPએ એક નિવેદનમાં કહ્યું કે તેણે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ તરત જ ડાબેરી વિદ્યાર્થીઓએ ત્યાં આવીને માળા ઉતારી અને શિવાજીની તસવીર નીચે ફેંકી દીધી.
ABVPએ આ ઘટનાની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે, 'JNUમાં ડાબેરીઓ દ્વારા વીર શિવાજીની તસવીરને માળા ચઢાવવામાં આવી હતી અને મહાપુરુષની તસવીરો તોડફોડ કરીને ફેંકી દેવામાં આવી હતી. ABVP આની સખત નિંદા કરે છે અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરે છે.'
તો જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન જેએનયુએસયુએ પણ આ સમગ્ર મામલામાં નિવેદન જારી કરીને કહ્યું કે, 'એબીવીપીએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. સોલંકીના પિતાના આહ્વાન પર એકતા દર્શાવવા માટે કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચ પછી તરત જ આ કરવામાં આવ્યું હતું. જાતિ ભેદભાવ સામેના આંદોલનને પાટા પરથી ઉતારવા માટે ABVPએ ફરી એકવાર આવું કર્યું છે.'
અનુસૂચિત જાતિના 18 વર્ષીય સોલંકીએ 12 ફેબ્રુઆરીએ IIT બોમ્બેના કેમ્પસમાં સ્થિત હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ સામેં એકતા દર્શાવવા JNUSUએ કેન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech