સેહવાગે હાર્દિકને બાદ કરીને પસંદ કરી T20 વર્લ્ડ કપ 2024ની ભારતની પ્લેઈંગ-11

  • April 25, 2024 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા તેના પ્લેઈંગ-11ની પસંદગી કરી છે. સેહવાગે પોતાની ટીમમાં ઘણા નવા ચહેરાઓને તક આપી છે અને કેટલાક જૂના ખેલાડીઓને પણ બહાર કર્યા છે. સેહવાગે પોતાની ટીમમાં આઈપીએલના સ્ટાર ફાસ્ટ બોલર સંદીપ શર્માને તક આપી છે. તો સેહવાગની ટીમમાંથી KL રાહુલ અને ભારતનો T20 કેપ્ટન હાર્દિક પંડ્યા બહાર છે.

2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા વીરેન્દ્ર સેહવાગે ક્લબ પ્રેરી ફાયર શોમાં વાત કરતા પોતાની પ્લેઈંગ-11 પસંદ કરી છે. આ શો દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એમડી ગિલક્વિસ્ટ સાથે પણ વાત કરી હતી. જ્યારે તેને T20 વર્લ્ડ કપ ટીમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી. તેણે રોહિત શર્માને આ ટીમનો કેપ્ટન રાખ્યો છે અને વિરાટ કોહલીને પણ સ્થાન આપ્યું છે.

સેહવાગે ટીમમાં 2 સ્પિન બોલરોને તક આપી છે, જેમાં કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે જસપ્રિત બુમરાહની સાથે ટીમના પ્લેઈંગ 11માં સંદિર શર્મા અને મોહમ્મદ સિરાજને તક આપી છે. સેહવાગના પ્લેઇંગ 11માં એક નહીં પરંતુ ત્રણ વિસ્ફોટક બેટ્સમેન છે, જેમાં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રિંકુ સિંહનું નામ સામેલ છે.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રિંકુ સિંહ/શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંદીપ શર્મા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application