માળિયા તાલુકાના નવલખી બંદરે વાવાઝોડા પૂર્વે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે નવલખી બંદર ખાલી કરાવી દેવામાં આવ્યુંછે અને તમામ અવરજવર પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે હાલ નવલખી બંદરે કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે
બીપરજોય વાવાઝોડાનું આગમન થાય તે પૂર્વે ઓછામાં ઓછું નુકશાન થાય અને કોઈ જાનહાની ના થાય તેવા હેતુ સાથે જીલ્લાનુંવહીવટી તંત્ર, પોલીસ વિભાગ સાથે વિવિધ સંસ્થાઓ દિવસ રાત કામગીરી કરી રહી છે મોરબી જીલ્લામાં આવેલ એકમાત્ર નવલખીબંદર આસપાસના ગામો અને વિસ્તારો ખાલી કરાવી દઈને ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હાલ નવલખી દરિયામાંકરંટ પણ જોવા મળી રહ્યો છે બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે નવલખી બંદર નજીક દરિયાકાંઠે આવેલ જુમાવાડી વિસ્તારના ઘરો સુધી દરિયાના પાણીનો પ્રવાહ પહોંચી રહ્યો છે તો નવલખી બંદરસંપૂર્ણ ખાલી જોવા મળે છે તેમજ બંદર જવાના માર્ગે બે ફાટક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તમામ પ્રકારનીઅવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત વિસ્તારમાં અને ટીમો પણ સ્ટેન્ડ ટૂ પોઝીશનમાં રાખવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબસ આટલા જ સમયમાં ચેમ્પિયન્સ પહોંચી જશે ભારત
July 03, 2024 04:23 PMનાસભાગની ઘટનાઓ કેવી રીતે ટાળી શકાય?, જાણો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકા
July 03, 2024 04:21 PMમ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન
July 03, 2024 04:05 PMઈટસ અમેઝિંગ! ઓરિસ્સામાં ખુલ્યું હાથી માટેનું રેસ્ટોરન્ટ
July 03, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech