વડિયાની સુરવો નદીમાં સૌનીના નીર છોડાયા, રામપુર પાસેનો વાલ્વ ખોલાયો

  • March 17, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં ઉનાળો આવતા જ પાણીનો પોકાર શરુ થતો હોય છે પરંતુ સૌની યોજનાના માધ્યમ થી સૌરાષ્ટ્ર ના જળાશયો ને લિંક કરતા હવે ઉનાળાના કપરા કાળ માં પાણીની સમસ્યાનું સમાધાન શક્ય બન્યું છે. ત્યારે વડિયા વિસ્તાર ના લોકો અને ખેડૂતોની જીવાદોરી સામાન સુરવો નદી અને સુરવો ડેમ માં સૌની યોજના મારફત પાણી છોડી અને ચેકડેમ અને ડેમમાં પાણી આપવા માટે નાયબ મુખ્ય દંડક દ્વારા સરકાર માં રજુવાત કરવામાં આવી હતી. ત્યારે આ બંને નેતાઓની રજુવાત ને ધ્યાને લઈને રામપુર સ્થિત  આવેલા સૌની યોજનાના મુખ્ય લાઈન ના વાલ્વ ને ખોલી સુરવો નદીમાં નર્મદાના નીર છોડવામાં આવ્યા છે.તેથી ભાર ઉનાળે સુરવો નદી વહેતી થઈ છે.ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ, આસપાસ ના ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો આ નર્મદા ના નીર વધાવવા માં આવ્યા હતા. આ નર્મદા ના નીર વડિયા ના સુરવો ડેમ સુધી પહોંચતા વચ્ચે આવતા તમામ ચેકડેમ ભરાતા પાણીના તડ ઉપર આવશે અને ખેડૂતો ને સિંચાઈ માટે અને સ્થાનિકોને ઘર વપરાશ માટેના પાણીની સમસ્યા હળવી બનશે ત્યારે ઉનાળામાં પાણીના પોકાર વચ્ચે સૌરાષ્ટ્ર ના લોકો માટે સૌની યોજના એ આશીર્વાદ રૂપ ગણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application