રૂ.૬૩.૪૬ લાખના કામોને સુજલામ સુફલામ યોજનામાં મંજુરી

  • January 05, 2023 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિક નિવાસી કલેકટર બી.એન. ખેરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પસુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨થ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમાવિષ્ટ લોકભાગીદારીના કાર્યોની સમીક્ષા તેમજ રૂ.૬૩.૪૬ લાખના નિર્માણાધીન કાર્યોને મંજૂરી કરવામાં આવી હતી. 


જામનગર જિલ્લાના ૬ તાલુકામાં કુલ ૪૫ કામો હાથ ધરવામાં આવશે. કાલાવડ તાલુકામાં ૩ કામ, ધ્રોલ તાલુકામાં ૧૪ કામો, જામજોધપુર તાલુકામાં ૪ કામો, લાલપુર તાલુકામાં ૧૧ કામો, જામનગર ગ્રામ્યમાં ૧૧ કામો અને જોડિયા તાલુકામાં ૨ કામો હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨માં સમાવિષ્ટ કાર્યોમાં તળાવ ઊંડું ઉતારવું, પી.ટી. અને ચેકડેમ ડિસીલ્ટીંગ- આ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામક ચૌધરી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, કાર્યપાલક ઇજનેર એસ.એમ. હરદયા, મદદનીશ ઇજનેર એચ.એમ. દુધાત્રા, જિલ્લા તિજોરી અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application