શિરડીનું સાંઈ મંદિર આ તારીખથી થશે બંધ, જાણો શું છે કારણ  

  • April 27, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં શિરડીના સાંઈ બાબા મંદિરમાં ગ્રામીણો CISFની તૈનાતીનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન શિરડીનું સાંઈ બાબા મંદિર 1 મેથી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.શિરડીમાં 1 મેથી અનિશ્ચિતકાળનો બંધ ચાલુ રહેશે.દેશ અને દુનિયાના કરોડો લોકોને સાંઈમાં શ્રદ્ધા છે. શિરડી મંદિરને સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. શિરડીના સાંઈ મંદિરમાં ભક્તો ઘણું દાન કરે છે. આ મંદિરમાં આવતું દાન અવારનવાર ચર્ચાનો વિષય બને છે. આવી સ્થિતિમાં શિરડીના સાંઈ મંદિરને 1 મેથી બંધ રાખવાની જાહેરાત ભક્તોને આશ્ચર્યચકિત કરી દે તેવી છે.


શિરડીમાં 1 મેથી બંધનું એલાન

પરંતુ હવે, મહારાષ્ટ્રના મુખ્ય ધાર્મિક પ્રવાસન સ્થળ શિરડીના સાંઈ મંદિરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. સાંઈ બાબા મંદિરની સુરક્ષા માટે CISF તૈનાત કરવાના સરકારના નિર્ણય સામે અનિશ્ચિત મુદ્દત માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે. શિરડીના સાંઈ મંદિરનું પ્રશાસન CISFની તૈનાતીનો વિરોધ કરી રહ્યું છે.


અહમદનગરના શિરડીમાં બનેલું સાંઈ બાબાનું આ મંદિર ભારતની બહાર પણ પ્રખ્યાત છે. દેશ-વિદેશથી લોકો અહીં સાંઈ બાબાના દર્શન કરવા આવે છે. શિરડીના સાંઈ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો પહોંચે છે. શિરડીનું સાંઈ મંદિર અહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે.આ CISF તમામ ઔદ્યોગિક સંસ્થાઓ, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટનું રક્ષણ કરે છે. પરંતુ, શિરડી મંદિરમાં રહેતા લોકો ત્યાં CISFની તૈનાતીથી ખુશ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application