નંબર-1ના સ્થાને રહેલા ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને છ રેન્કિંગ પોઈન્ટનું નુકસાન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. જેમાં ભારતીય ખેલાડીઓને નુકસાન ઉઠાવવું પડ્યું છે. ભારતના ટોચના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને છ પોઈન્ટનું નુકસાન થયું છે. જોકે, તે ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સાથે સંયુક્ત નંબર વન ટેસ્ટ બોલર છે. અશ્વિન ગયા સપ્તાહે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર વનના સ્થાન પર પહોંચી ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચની બંને ઈનિંગ્સમાં તેણે માત્ર ચાર વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ નવ વિકેટે જીતી હતી, જે 2017 પછી ભારતીય ધરતી પર તેમની પ્રથમ જીત હતી. ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સ રેન્કિંગમાં અશ્વિનના હવે 859 પોઈન્ટ છે જ્યારે ઈંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસનના પણ આટલા જ પોઈન્ટ છે. આમ અશ્વિન અને એન્ડરસન સંયુક્ત રીતે નંબર-1ના સ્થાને છે. વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર બનવાની સ્પર્ધા વધુ તીવ્ર બની છે કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ, સાઉથ આફ્રિકન ઝડપી બોલર કાગીસો રબાડા અને ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયન પણ ટોચના ક્રમાંકિત બોલર્સથી પાછળ નથી.
પેટ કમિન્સના હાલમાં 849 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે. પેટ કમિન્સ ભારત સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન છે. જોકે, અંગત કારણોસર તે છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ લેનારો રબાડા ત્રણ સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. કાગિસો રબાડા 807 પોઈન્ટ ધરાવે છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયન ઈન્દોરમાં 11 વિકેટ ઝડપીને પાંચ સ્થાન આગળ વધીને નવમા સ્થાને પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજા બેટિંગ રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને નવમા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્મા બે સ્થાનના નુકસાન સાથે 11માં નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી 20મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર વન પર યથાવત છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્ટિવ સ્મિથ બીજા અને ઈંગ્લેન્ડનો જો રૂટ ત્રીજા નંબર પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાગઠીયા એટલો પૈસાદાર બન્યો તો ભાજપના નેતાઓ કેટલા પૈસાદાર હશે ? : ગાયત્રીબા વાઘેલા
July 03, 2024 07:31 PMગોંડલ રાજવીકાળના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ચોરી
July 03, 2024 07:28 PMપોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ ધમધમ્યુ
July 03, 2024 07:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech