રોહિત શર્માની હવે ભારત માટે T20 ક્રિકેટ નહીં રમવાની અટકળોનો અંત આણ્યો ખેલાડી એ જ, કહ્યું, "મેં T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય..."

  • January 10, 2023 01:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીલંકા સામેની ODI સીરીઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરને લઈને મોટો ખુલાસો કર્યો છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી 10 જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ રમાયેલી ટી20 શ્રેણીમાં રોહિત ટીમનો ભાગ નહોતો અને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારથી સમાચાર તેજ થઈ ગયા હતા કે હવે રોહિત શર્મા ટી-20 ટીમમાં વાપસી કરી શકશે નહીં. હવે તેણે પોતે જ જવાબ આપ્યો છે.

શ્રીલંકા સામેની પ્રથમ ODI પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયર વિશે જવાબ આપતા કહ્યું કે, "મેં હજુ T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો નથી." તેના નિવેદનથી સ્પષ્ટ છે કે તે હવે T20થી અંતર નહીં રાખે, તે આગામી T20 શ્રેણીમાં ભારતીય ટીમમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application