રાજકોટ જિલ્લાના જેતપુર તથા ઉપલેટા તાલુકામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અસર પામ્યા છે, જેને નાગરિકોના આવાગમન માટે વૈકલ્પિક રીતે પૂર્વવત કરવા જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.
ઉપલેટા તાલુકાના ગઢાળા એપ્રોચ રોડ પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ તાકીદની કામગીરી કરી રહ્યું છે. ભાદર નદીના પાણીને લીધે અસર પામેલો જેતપુર તાલુકાનો જેતપુર દેરડી લીલાખા રોડ નાગરિકોની અવરજવર માટે શરૂ કરી દેવાયો છે, જયારે ઉપલેટા તાલુકાનો મોજીલા ભાંખ કાલરીયા રોડ પણ વરસાદની અસર બાદ પુનઃ શરૂ કરી દેવાયો છે.
કોઝવે ઓવર ટોપિંગને કારણે જેતપુર તાલુકાના લુણાગરા દૂધીવદર રોડ અસરગ્રસ્ત થયો છે, જેને પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સાધન સામગ્રી સાથે રસ્તા વરસાદમાં અવિરત કામગીરી કરી રહ્યા છે.
ઓવર ટોપીંગ થવાના કારણે, ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે, રસ્તામાં બ્રીચ પડવાનાં કારણે, એપ્રોચનું ધોવાણ થવાના કારણે, સ્ટ્રકચર ડેમેજનાં કારણે, અન્ડર પાસમાં પાણી હોવાના કારણે અને સ્ટ્રકચરનાં એપ્રોચમાં નુકશાન થવાના કારણે રાજકોટ જિલ્લાના સડક માર્ગો અસરગ્રસ્ત થયા છે, જેને લીધે કથળેલું ગ્રામ્ય નગરીકોનુ રોજિંદુ જીવન થાળે પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અવિરત કામગીરી કરી રહ્યુ છે, તેમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech