સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૫ વિધાર્થીઓ દ્રારા સંશોધન પત્ર રજૂ થયા બાદ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ જાણી મેળાને સુદ્રઢ બનાવવા ભાવિ રણનીતિ ઘડાશે.
આદિ અનાદિકાળથી યોજાઇ રહેલ મહાશિવરાત્રી મેળાનું અને મહત્વ છે.આ વર્ષે મેળાને લઈ આર્થિક સામાજિક સાંસ્કૃતિક પાસાઓની ચકાસણી કરવા વહીવટી તત્રં યુવા સંશોધકો પાસે સર્વે શ કરાયો છે જેની માટે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૫ વિધાર્થીઓ ની ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્રારા મેળામાં આવતા લોકો, સ્થાનિક વેપારીઓ પાસેથી મેળા સંદર્ભે પૂછપરછ કરી સંશોધન પત્ર બનાવશે અને જેના આધારે તત્રં દ્રારા મેળામાં સુવિધા વધુ સુદ્રઢ કરવા ભાવિ રણનીતિ ઘડવામાં આવશે.
મહાશિવરાત્રીનો મેળો જીવ અને શિવને જોડતો મેળો છે.ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ મેળામાં દર વર્ષે લાખો ભાવિકો ઉમટે છે.જૂનાગઢ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા આ વર્ષે મેળા સંદર્ભે લોકો પાસેથી સૂચન અને માહિતી મેળવી સંશોધન કરવા કામગીરી શ કરવામાં આવી છે.જે માટે યુવા સંશોધકોની ટીમ બનાવવામાં આવી છે.કલેકટર અનિલ રાણા વસ્યાના માર્ગદર્શન હેઠળ શ થયેલ સર્વેની કામગીરીમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અર્થશાક્ર વિભાગના પીએચડી કરતા ૧૫ અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશયોલોજી વિભાગના ૧૦ મળી કુલ ૨૫ વિધાર્થીઓ મેળામાં આવતા લોકો પાસેથી મંતવ્યો જાણશે.આ વિધાર્થીઓને તત્રં દ્રારા પ્રશ્નાવલી આપવામાં આવી છે.જેમાં મેળો શા માટે થાય છે, મેળામાં આવવાનું કારણ, મેળામાં રહેલ સુવિધાઓ, આર્થિક દ્રષ્ટ્રિએ મેળાથી થતા ફાયદા, શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના મતે મેળાનું મહત્વ, મેળાને વધુ સુદ્રઢ બનાવવા સૂચનો સહિતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓ જાણી સર્વે કર્યા બાદ તંત્રને સંશોધન પત્ર રજૂ કરાશે.આ સંશોધન પત્રના આધારે મેળામાં થતી કામગીરી અને ભાવી આયોજન અંગે રણનીતિ ઘડવામાં આવશે.જૂનાગઢ જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા સૌપ્રથમવાર મેળાને લઈ સંશોધન શ કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech