પરિણીતાના છૂટાછેડાનો હુકમ કરતી નામદાર ફેમીલી કોર્ટ

  • March 19, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઈન્દીરા માર્ગ રોડ ઉપર રહેતા લખમણભાઈ પરબતભાઈ રાઠોડના પુન:લગ્ન શંકરટેકરી, નીરૂનગર શેરી નં.-૧૦/એ માં રહેતી મીનાબેન મેધજીભાઈ પરમાર સાથે આજથી ૧૧ વર્ષ પહેલા થયેલા અને લગ્ન જીવનથી એક પુત્રી હેત્વીનો જન્મ થયેલો અને મીનાક્ષીબેન મેધજીભાઈ પરમાર છેલ્લા આઠેક વર્ષથી માવતરે હોય અને મીનાક્ષીબેને ડોમેસ્ટીક વાયોલન્સનો કેસ કરેલો એક ઘી અનેક વખત સમાધાનના પ્રત્યનો કરવા છતાં સમાધાન ન થતાં લખમણભાઈ પરબતભાઈ રાઠોડે નામદાર ફેમીલી કોર્ટમાં હિન્દુ મેરેજ ક્લમ-૧૩(૨) (૧-૨) (૧ બી.) મુજબ છુટાછેડા મેળવવાનો દાવો કરતાં નામદાર કોર્ટે મુદા ફ્રેમ કરેલ તેમા પ્રથમ મુદો મીનાક્ષીબેન તરફથી લખમણભાઈને શારીરીક અને માનસીક દુ:ખત્રાસ આપેલ છે.

​​​​​​​બીજો મુદ્દો મીનાક્ષીબેન છેલ્લા બે વર્ષથી માવતરે રહે છે. ઉપરોકત બન્ને મુદાની નામદાર કોર્ટમાં દસ્તાવેજી પુરાવા સાથે દલીલ થતાં અને લખમણભાઈએ મીનાક્ષીબેનને તેડી જવા માટે લીગલ નોટીસો આપેલ અને મીનાક્ષીબેને લેખિતમાં બાંહેધરી આપી સમાધાન કરેલ તેમ છતાં બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર-સંસાર ને ચાલતા ઉપરીત બન્ને મુદ્દાઓ નામદાર સૈમીલી કોર્ટ લખમણભાઈ પરબતભાઇના માન્ય રાખી મીનાક્ષીબેને શારીરીક અને માનસીક લખમણભાઈને ત્રાસ આપેલ હોય તેવું માન્ય રાખી અને મીનાક્ષીબેન છેલ્લા આઠ વર્ષથી માવતરે હોય જે ધ્યાને રાખી નામદાર ફેમીલી કર્ટેલબાભાઈ પરબતભાઈ રાઠોડની છૂટાછેડાની અરજી માન્ય રાખી છૂટાડાનો હુકમ કરી આપેલ છે. લખમણભાઈ પરબતભાઈ રાઠોડના જામનગરના જાણીતા વકીલ રમેશભાઈ એન. પારધી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application