દિ.પ્લોટ-૪૫માં ૧૭ હજારના વાયરની ઉઠાંતરી

  • March 07, 2023 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દિ.પ્લોટ-૪૫માં મકાનના ડેલા પાસે રાખેલા વાયરના બોકસ અને જુના વાયર મળી કુલ ૧૭ હજારનો માલ-સામાન ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ થઇ છે.


જામનગરના કામદાર કોલોની સરદાર પટેલ ભવન બિલ્ડીંગ નં. બી/૨, ફલેટ નં. ૨૦૨ ખાતે રહેતા વેપારી અજય શૈલેષભાઇ ભદ્રાએ ગઇકાલે સીટી-એમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદીના દિ. પ્લોટ-૪૫ ખાતેના મકાનના ડેલા બહાર રાખેલ સામાન જેમાં વાયરના ૩ બોકસ, ઇલેકટ્રીક વાયર ખુલ્લો, જુના વાયર મળી કુલ ૧૭૧૫૦ના માલસામાનની બે દિવસના સમયગાળા દરમ્યાન અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા, ગઇકાલે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application