મિલકત વેરા શાખા દ્વારા વધુ ૭૫ આસામીઓ પાસેથી રૂ.૧૫ લાખની વસુલાત

  • March 03, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રોકાતો વેરો વસૂલવા માટેની ઝુંબેશ દિન પ્રતિદિન વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે એક જ દિવસમાં વધુ ૭૫ આસામીઓ પાસેથી ૧૫ લાખથી વધુની બાકી વેરાની રકમ સ્થળ પર જ વસૂલ કરી લેવામાં આવી છે, જ્યારે એક મિલકત સીલ કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા ઘ્વારા ગઈકાલે  વોર્ડ નં  ૨માં ૧૫ આસામીઓ, વોર્ડ નં.૫ માં ૨૨ આસામીઓ વોર્ડ નં.૬ માં બે આસામીઓ, વોર્ડ નં.૭ માં ૫ આસામીઓ, વોર્ડ નં.૮ માં ૩ આસામીઓ,  વોર્ડ નં.૯ માં ૨ આસામીઓ, વોર્ડ નં.૧૦ માં ૫ આસામીઓ, વોર્ડ નં.૧૨ માં ૧ આસામી, વોર્ડ નં.૧૩ માં ૪ આસામીઓ, વોર્ડ નં.૧૪ માં ૩ આસામીઓ, વોર્ડ નં.૧૫ માં ૫ આસામીઓ, વોર્ડ નં.૧૭ માં ૨ આસામીઓ, વોર્ડ નં.૧૮ માં એક આસામી, અને વોર્ડ નં.૧૯ માં ૪ આસામીઓ સહિત કુલ ૭૫ આસામીઓ પાસેથી  રૂ.૧૫,૪૯,૭૮૮ ની વસુલાત કરવામાં આવી છે.


વોર્ડ નં.૭ માં ૧ આસામીએ પોતાનો વેરો ભર્યો ન હોવાથી તેમજ સ્થળ ઉપર પણ વસુલાત થઈ શકે તેમ ન હોવાથી તેની મિલકત પર જામ્યુકોનું સીલ લગાવી દેવામાં આવ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application