જામનગર શહેરમાં રાશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ અનાજ ન મળતા અનેક રાશનકાર્ડ ધારકો ન મળવાની અને ફરિયાદો અને જામનગર જિલ્લાનું પુરવઠા તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર સસ્તા અનાજ ની દુકાનોનું વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે સરકારના નિયમ મુજબ તમામ રાશનકાર્ડ ધારકોની પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે જામનગર જિલ્લાની તમામ સસ્તા અનાજ ની દુકાનોની બહાર દર માસે કેટલો કેટલો જથ્થો ફાળવવામાં આવે છે તેવા ચાર્ટો નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવે જેથી કરીને જનતાને ખબર પડે દર મહિને કેટલો કેટલો જથ્થો ફાળવવામાં આવે છે
અને ખાસ કરીને પુરવઠા અધિકારી દ્વારા આજ દિન સુધી એક પણ સસ્તા અનાજો ની દુકાનુ ચેકિંગ કરવામાં આવેલ નથી જેથી કરી તમામનું વિઝીટ અને ચેકિંગ કરવામાં આવે જામનગર જિલ્લાના પુરવઠા અધિકારી નીલાક્ષ મકવાણા લાંબા સમયથી આ પદ પર બિરાજે છે તેઓ અત્યાર સુધી ના કાર્યકાળ દરમિયાન જામનગર શહેર જિલ્લામાં પુરવઠા તંત્રની કામગીરી એક પણ નોંધપાત્ર સારી કામગીરી કયાય થવા પામી હોઇ તેવું હજુ સુધીમાં જાહેર થયું નથી
બીજી બાજુ તેઓના કાર્યકાળ દરમિયાન સમગ્ર જિલ્લામાં લાખો રાશન કાર્ડ ધારકો અનેક રીતે પરેશાન સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ધારો કોનું શોષણ કરવામાં આવે છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ક્યાયરે શહેર કે જિલ્લામાં ચેકિંગ કે સ્થળ તપાસ કે ક્રોસ વેરીફીકેશન જેવી આજ દિન સુધી કોઈ કામગીરી કે કાર્યવાહી કરવામાં આવતી નથી
અત્રેએ પણ નોધનીય છે કે જામનગર શહેરમાં સરકારી અનાજનો જથ્થો ખાનગી હાથોમાં પહોંચી જતો હોવાનું આખું જામનગર જાણે છે પરંતુ મુખ્ય અધિકારી આ પદ પર બેસીને વર્ષોથી આ ફરિયાદી અને ફરિયાદનો ઇતેજાર કરી રહ્યા છે.જામનગરના જાગૃત નાગરિક ચેતનકુમાર ભાભીએ કલેક્ટરને પત્ર લખ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech