જામનગર જિલ્લામાં રાશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા આક્રોશ....જાગૃત નાગરિકે કલેકટરને લખ્યો પત્ર

  • January 25, 2023 10:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રાશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ અનાજ ન મળતા અનેક રાશનકાર્ડ ધારકો ન મળવાની અને ફરિયાદો અને જામનગર જિલ્લાનું પુરવઠા તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર સસ્તા અનાજ ની દુકાનોનું વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે સરકારના નિયમ મુજબ તમામ રાશનકાર્ડ ધારકોની પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે જામનગર જિલ્લાની તમામ સસ્તા અનાજ ની દુકાનોની બહાર દર માસે કેટલો કેટલો જથ્થો ફાળવવામાં આવે છે તેવા ચાર્ટો નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવે જેથી કરીને જનતાને ખબર પડે દર મહિને કેટલો કેટલો જથ્થો ફાળવવામાં આવે છે


 અને ખાસ કરીને પુરવઠા અધિકારી દ્વારા આજ દિન સુધી એક પણ સસ્તા અનાજો ની દુકાનુ ચેકિંગ કરવામાં આવેલ નથી જેથી કરી તમામનું વિઝીટ અને ચેકિંગ કરવામાં આવે જામનગર જિલ્લાના પુરવઠા અધિકારી નીલાક્ષ મકવાણા લાંબા સમયથી આ પદ પર બિરાજે છે તેઓ અત્યાર સુધી ના કાર્યકાળ દરમિયાન જામનગર શહેર જિલ્લામાં પુરવઠા તંત્રની કામગીરી એક પણ નોંધપાત્ર સારી કામગીરી કયાય થવા પામી હોઇ તેવું હજુ સુધીમાં જાહેર થયું નથી


બીજી બાજુ તેઓના કાર્યકાળ દરમિયાન સમગ્ર જિલ્લામાં લાખો રાશન કાર્ડ ધારકો અનેક રીતે પરેશાન સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ધારો કોનું શોષણ કરવામાં આવે છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ક્યાયરે શહેર કે જિલ્લામાં ચેકિંગ કે સ્થળ તપાસ કે ક્રોસ વેરીફીકેશન જેવી આજ દિન સુધી કોઈ કામગીરી કે કાર્યવાહી કરવામાં આવતી નથી


અત્રેએ પણ નોધનીય છે કે જામનગર શહેરમાં સરકારી અનાજનો જથ્થો ખાનગી હાથોમાં પહોંચી જતો હોવાનું આખું જામનગર જાણે છે પરંતુ મુખ્ય અધિકારી આ પદ પર બેસીને વર્ષોથી આ ફરિયાદી અને ફરિયાદનો ઇતેજાર કરી રહ્યા છે.જામનગરના જાગૃત નાગરિક ચેતનકુમાર ભાભીએ કલેક્ટરને પત્ર લખ્યો છે
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application