જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતી માતા-પુત્રીને તલવારની અણીએ ધમકી

  • May 13, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતી માતા પુત્રીને પાડોશમાં રહેતા એક દંપતિએ પોતાના પુત્રના આત્મહત્યાના બનાવનાર સંબંધે પૂછપરછ માટે બોલાવ્યા પછી માતા પુત્રીને તલવારની અણીએ મારી નાખવાની ધમકી અપાઇ હતી જ્યારે, પુત્રીના માથા પર ફૂલદાની ફટકારી દેતાં માથું ફૂટ્યું હતું અને સાત ટાંકા લેવા પડ્યા છે જે સંદર્ભે દંપતી સામે હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે ક,ે જામનગરમાં રાંદલનગરમાં  શેરી નંબર છ માં રહેતી ૪૦ વર્ષની એક મહિલાએ પોતાને તેમજ પોતાની પુત્રીને તલવારણી અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે પાડોશમાં જ રહેતા અશોકબા ભૂપતસિંહ જાડેજા અને તેના પતિ ભૂપતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત અશોકબાએ ઉસકેરાટમાં આવી જઇ ઘરમાં પડેલલી ફૂલદાની માથામાં ફટકારી દેતાં પુત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે, અને તેણીને સાત ટાંકા આવ્યા છે.
પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હુમલાખોર દંપત્તિના પુત્ર એ તાજેતરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં દંપતિને જાણવા મળ્યું હતું, કે પોતાના પુત્રને ઇજાગ્રસ્ત યુવતી સાથે વાતચીતનો વહેવાર હતો. જેથી માતા-પુત્રી બંનેને દંપતિએ પોતાના ઘેર બોલાવ્યા હતા, જ્યાં યુવતીને ટેલીફોન ની વાતચીત બાબતે પૂછપરછ કરતાં તેણીએ ગળાફાંસાના બનાવ બાબતે પોતાને કાંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જેથી દંપતિએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. સમગ્ર મામલે પી.એસ.આઇ. આર.પી.અસારી તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application