રાજકોટ : પાસપોર્ટ ઓફિસ ખાતે લોકોનો હોબાળો, રાત્રીના અચાનક જાહેર રજાનો મેસેજ આવ્યો, બહારગામથી આવેલા લોકોને ધરમનો ધક્કો

  • April 14, 2023 02:21 PM 


રાજકોટમાં આજે આંબેડકર જયંતિ નિમિતે પાસપોર્ટ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે બહારગામથી કેટલાક લોકો અગાઉ આવી જવાથી પાસપોર્ટ કચેરી ખાતે તેમણે હોબાળો કર્યો હતો.


આજે આંબેડકર જયંતિ છે જેને લઇને સરકારી કચેરીઓમાં જાહેર રજા રાખવામાં આવી છે. જોકે પાસપોર્ટ ઓફિસમાં રજા છે કે નહીં તેની જાણ અગાઉ લોકોને કરવામાં ન આવતા લોકો પરેશાન થયા હતા. આજે રાજકોટ શહેરની પાસપોર્ટ ઓફિસ ખાતે લોકોએ હોબાળો મચાવ્યો હતો. પહેલા ઇન્ટરવ્યૂ માટે મેસેજ કરવામાં આવ્યો અને રાત્રીના સમયે અચાનક 1 વાગ્યે જાહેર રજાઓ મેસેજ આવતા બહારગામથી જે લોકો આવ્યા હોય તેમને ધર્મનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. દૂરથી આવેલા લોકો પાસપોર્ટ ઓફિસ ખાતે સવારથી હેરાન થયા હતા જેને લઇને તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સાથે જ લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પાસપોર્ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા સરખો જવાબ પણ દેવામાં આવતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application