રાજકોટ : સર્વેશ્વર ચોક દુર્ઘટના બાદ મનપા જાગી, વોકળાની સફાઈ કરાઈ શરૂ

  • September 26, 2023 11:54 AM 

રાજકોટ : સર્વેશ્વર ચોક દુર્ઘટના બાદ મનપા જાગી, વોકળાની સફાઈ કરાઈ શરૂ

રાજકોટ શહેરમાં ગત રવિવારે યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં સ્લેબ પડવાની દુર્ઘટનામાં 13 જેટલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને એક વૃધ્ધાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં મહિલાનું ગત રાતે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સર્વેશ્વર ચોકમાં બનેલી દુર્ઘટના બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. હવે મનપા દ્વારા વોકળાની સફાઈ શરૂ કરવામાં આવી છે. 1992થી આ વોકળાની સફાઈ થઈ જ નથી. વર્ષો બાદ વોકળાની સફાઈ કરવામાં આવી. જેમાં મોટી માત્રામાં કચરો અને ગારો નીકળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application