રાજકોટ : ગોંડલ રોડ પાસે આવેલા સમૃદ્ધિ ભવનમાં લાગી આગ, ફાયર ટીમે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ કાબુમાં લીધી 

  • April 18, 2023 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સમૃદ્ધિ ભવન ખાતે આજે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની છે. સૂત્રો મુજબ આગજનીનો બનાવ સમૃદ્ધિ ભવનના મીટર બોક્સ વિભાગમાં શોર્ટસર્કીટ થવાને કારણે બન્યો હોવાનું જણાયું છે. જે બાદ સ્થાનિક દુકાન ધારકોએ સમય સુચકતા વાપરી તાત્કાલિક ફાયર વિભાગને અકસ્માત અંગે જાણ કરી હતી. ફાયર ફાયટરોની ટીમ સમયસર સ્થળે પહોચતા મોટી દુર્ઘટના ટળી. આ બનાવમાં સદ્નસીબે કોઈ જાનહાની કે ઇજા થઇ થઇ હોવાનું સામે આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application