રાઘવજી પટેલે જામનગર તાલુકાના ખારા બેરાજા અને ઢીંચડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી

  • April 01, 2023 12:28 PM 

મંત્રીએ લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી 


રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે 77-જામનગર ( ગ્રામ્ય) વિધાનસભાના ખારા બેરાજા અને ઢીંચડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ મંત્રીએ લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. 


કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. મંત્રીએ ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેમજ ઉપસ્થિત સર્વે આગેવાનોને જરૂરી માર્ગદર્શન- સૂચના પૂરી પડી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application