બગસરા ડેપોની બગસરા-સુરત વાયા: દેરડી, વાસાવડ, બાબરા, કોટડાપીઠા, આટકોટ, જસદણ, તારાપુર, આણંદ થઇને જેની સુરત જતી બસને ટ બદલીને વાયા બાબરા, ઢસા, ગઢડા થઇને ચાલુ કરતા બાબરા તાલુકાના ચરખા, ઉંટવડ, કોટડાપીઠા જેવા ગામડાના લોકોની એકમાત્ર એસટીની સુવિધા બંધ થઇ ગઇ છે. આ બાબતે અહીંના કાર્યકર પ્રફુલભાઇ ગજેરા, પરેશભાઇ વાઢેરે ગ્રામ પંચાયતના માધ્યમથી ધારાસભ્ય જનકભાઇ તળાવીયાને રજુઆત કરેલ છે. ચાવંડ-ઢસાથી સુરત જવાની ઘણી બસો મળી રહે છે. જયારે બાબરા તાલુકા ચરખા, ઉંટવડ, કોટડાપીઠા, વાવડા જેવા આસપાસના ગામડાથી હવે એકપણ એસટીની બસ મળતી નથી. આ બસ વાયા આણંદ-તારાપુર, વડોદરા થઇને જતી હોવાથી આ વિસ્તારમાં તથા જસદણથી આણંદ-વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુવિધા ઝુંટવાઇ ગઇ છે. અહીંથી તથા જસદણથી આણંદ-વિદ્યાનગર જવાની વિદ્યાર્થીઓની એકમાત્ર એસટીની બસ હોય આ બસને વહેલી તકે વાયા બાબરા, કોઠડાપીઠા, જસદણ થઇને ચાલુ કરવા આ વિસ્તારના ગ્રામ્ય જનતાની માગણી છે. આ બસ બગસરાથી સવારે ૭-૩૦ કલાકે ઉપડે છે અને સુરતથી વહેલી સવારે ૬ કલાકે ઉપડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech