જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં નવરાત્રી દશેરા ના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આંગડીયા પેઢીના માલીક મેનેજર તથા બેંક મેનેજરોની મીટીંગ

  • September 30, 2024 04:42 PM 

આજરોજ ઇન્ચાર્જ ડીવાયએસપી જામનગર શહેર વિભાગ  શ્રી નયના ગોરડીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને તથા પીએસઆઇ ડી જી રામાનુજ સાહેબની ઉપસ્થિત માં જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં નવરાત્રી દશેરા ના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આંગડીયા પેઢીના માલીક મેનેજર તથા બેંક મેનેજરો ની મીટીંગ રાખેલ જેમાં તહેવારો દરમ્યાન તેમજ કાયમ માટે બેંકો તથા આંગડીયા પેઢીમાં સીસીટીવી કેમેરા શુ નિશ્ચિત કરવા તેમજ મેન્ટેઈન કરવા તેમજ બેંકો માં કમ્પેલેઈન બોક્સ મેન્ટેઈન કરવા તહેવાર દરમ્યાન પૈસાની જરૂરિયાત માટે આંગડીયા પેઢીમાં તથા બેંકો માં માણસો ની ભીડ રહેતી હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પુરતી તકેદારી રાખવી કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અત્રે થી સતત પોલીસ પેટ્રોલિંગ રાખવાં માં આવેછે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવી 
આ મીટીંગ માં આવેલ બેંક મેનેજર તથા આંગડીયા પેઢીના માલીક મેનેજરો એ પોલીસ નો પુરતો સાથ સહયોગ મળે છે અને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહયોગ મળતો રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવેલ આ મીટીંગ કુલ 35 જેટલા બેંક મેનેજર તથા આંગડીયા પેઢીના માલીક મેનેજર હાજર રહે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application