જામનગર શહેરના ૧૪ પોલીસ કર્મીઓને એએસઆઈનું પ્રમોશન

  • March 03, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ૧૪ પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકેના પ્રમોશન અપાયા છે, જેથી પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ છે, અને તમામને અભિનંદન પાઠવાયા છે.





જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા આજે જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફાજ બજાવતા ૧૪ જેટલા પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકેના પ્રમોશન આપતા ઓર્ડર કાઢ્યા છે. જેથી પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે. 
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ નવલસિંહ પરમાર, ઉપરાંત હિતેશ ખોડુભાઇ ચાવડા, બળવંતસિંહ જીતુભા પરમાર, સંજયસિંહ ગોવુભા જાડેજા, જયેશદાન કસુદાન ગઢવી, નાનજીભાઈ તરસીભાઇ અઘેરા, કરણસિંહ ગોપાલસિંહ જાડેજા, મગનભાઈ હરજીભાઈ ચંદ્રપાલ, વિજયભાઈ છગનભાઈ હળવદિયા, શ્રીકાંતભાઈ સુનિલભાઈ દાતણીયા, મુકેશસિંહ જીલુભા રાણા, મોહનભાઈ નરવતભાઈ બારીયા, સુરૂભા ગોવુભા ચૌહાણ અને લખધીરસિંહ માવુભા જાડેજાને એ.એસ.આઈ. તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application