BREAKING NEWS

જામનગરમાં સિંધી ભાષા વિકાસ પરીષદ દ્વારા કાર્યક્રમ યોજાયો...

  • January 05, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરીષદ શિક્ષા મંત્રાલય દિલ્હી અને ભારતીય સિંધી સમાજ જામનગર માટે સિંધી સમાજના વિકાસ માટે સંસ્કારન સાં સજીયલ પરવરીસ અંતર્ગત ટાઉનહોલ ખાતે રવિવારે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિંધી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.



આ કાર્યક્રમમાં ઓધવદાસ ભુગડોમલ, હરેશ ગનવાણી, કિશોર સંતાણી, મુકેશ લાલવાણી, કિશનચંદ પોકરદાસ, ધરમદાસ ગલાણી, પ્રકાશ હકાણી, અમીત લછાણી, મહેશ ખુવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, આ ઉપરાંત કાર્યક્રમના અઘ્યક્ષ પદે બીએસએસના રાષ્ટ્રીય મહામંત્રી ડો.માયાબેન કોડનાની, એનસીપીએસએલ દિલ્હીના સીએ તુલસીભાઇ ટેકવાણીએ કાર્યક્રમનું ઉદઘાટન કર્યુ હતું જયારે અતિથી વિશેષ પદે પુર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, બીએસએસના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ મુકેશ લખવાણી, મહીલા સંગઠનના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ નલીનીબેન પોપટાણી, ગુજરાત પ્રાંત અઘ્યક્ષ ડો.દિલીપ પબરેજા, મહીલા પ્રાંત અઘ્યક્ષ અનીતાબેન ચાંગરાણી, આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, લીલાબેન ભદ્રા અને શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી હાજર રહ્યા હતાં.

​​​​​​​

કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત માર્ગદર્શક ધનરાજભાઇ મંગવાણી, મુખ્ય સંગઠનના અઘ્યક્ષ ઘનશ્યામદાસ ગંગવાણી, યુવા સંગઠનના અઘ્યક્ષ જગદીશભાઇ દુલાણી અને મહીલા સંગઠનના અઘ્યક્ષ નીકીતાબેન કેવલરામાણી હાજર રહ્યા હતાં, આ કાર્યક્રમમાં સિંધી સમાજના વિકાસ માટે શું કરવું તે અંગે વકતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application