ભારતના ન્યાય તંત્ર ની અજીબ દાસ્તાન સામે આવી છે. હત્યાના આરોપમાં 42 વર્ષથી આજીવન જેલની સજા ભોગવતા 100 વર્ષના કેદીનો આરોપો સાબિત ન થતા નિર્દોષ છુટકારો થયો છે.આ વ્યક્તિને ૧૯૮૪માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.અલહાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે અપીલનો લાંબો સમય પેન્ડિંગ અને તેમની વૃદ્ધાવસ્થા તેમને રાહત આપવાના પરિબળો હતા.આ ઘટના ૧૯૮૨માં હમીરપુરમાં બની હતી, અને ટ્રાયલ પછી, હમીરપુર સેશન્સ કોર્ટે ૧૯૮૪માં અપીલકર્તા ધાની રામને આજીવન કેદની સજા ફટકારી હતી.
જસ્ટિસ ચંદ્રધારી સિંહ અને જસ્ટિસ સંજીવ કુમારની બેન્ચે ધાની રામની અપીલ સ્વીકારતી વખતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આરોપીઓએ જે ચિંતા, અનિશ્ચિતતા અને સામાજિક પરિણામોનો સામનો કરવો પડ્યો છે તેને અવગણી શકાય નહીં.
બેન્ચે ચુકાદો આપ્યો કે અપીલકર્તા ધની રામ જામીન પર હોવાથી, તેમના જામીન રદ ગણવામાં આવશે. ફરિયાદ પક્ષ દ્વારા શંકાની બહાર આરોપો સાબિત કરવામાં નિષ્ફળતાને કારણે કોર્ટે આ આદેશ જારી કર્યો હતો.
૧૯૮૨માં બે ભાઈઓ સાથે ધની રામને વાંકું પડ્યું હતું
આ કેસની વિગતો અનુસાર, ૯ ઓગસ્ટ, ૧૯૮૨ના રોજ, ફરિયાદી અને તેનો ભાઈ ગુનુવા (મૃતક) ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં તેમનો સામનો મૈકુ સાથે થયો, જેની પાસે બંદૂક હતી. મૈકુ સાથે સત્તી દીન અને ધની રામ પણ હતા.સત્તી દીન ગદાથી સજ્જ હતો, જ્યારે ધની રામ કુહાડીથી સજ્જ હતો.સત્તી દીન અને ધની રામે મૈકુને ગુણુવાને મારવા માટે ઉશ્કેર્યો કારણ કે ગુણુવાએ એક વખત તેની પિસ્તોલ જપ્ત કરી હતી અને તેની છ વિઘા જમીન પણ છીનવી લીધી હતી. જૂની દુશ્મનાવટને કારણે, મૈકુએ ગુણુવાને ગોળી મારી દીધી, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
ગોળીબારનો અવાજ સાંભળીને, ચાર લોકો ઘટનાસ્થળે દોડી ગયા અને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. જો કે, આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટના હમીરપુર જિલ્લામાં બની હતી.એક આરોપી ફરાર થઈ ગયો, બીજો મૃત્યુ પામ્યો, ફક્ત ધની રામને કોઈ નુકસાન થયું નહીં.
ત્યારબાદ, જુલાઈ 1984 માં, હમીરપુરના એડિશનલ સેશન્સ જજે સત્તી દિન અને ધની રામને હત્યાનો દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. જોકે, ધની રામને 1984 માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો.મુખ્ય આરોપી, મૈકુ, ફરાર રહ્યો, જ્યારે સત્તી દિનનું મૃત્યુ તેની અપીલ પેન્ડિંગ દરમિયાન થયું. આમ, ફક્ત ધની રામનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ હતો.
વકીલની અપીલ શું હતી
અપીલકર્તાના વકીલે દલીલ કરી હતી કે તેનો ક્લાયન્ટ લગભગ 100 વર્ષનો હતો અને તેની ભૂમિકા ફક્ત હિંસા ભડકાવવાની હતી મારી નાખવામાં તેની કોઈ ભૂમિકા ન હતી. મુખ્ય આરોપી મૈકુ હતો અને પોલીસ દ્વારા ક્યારેય ધરપકડ કરવામાં આવી ન હતી.આથી ધની રામને છોડી મુકવો જોઈએ.