જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં કાયદા સલાહકારની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી
જામનગર તા.02 ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેકટર કચેરી, તાબાની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકારશ્રીના પક્ષે સબળ રજુઆત થઈ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક (1) જગ્યા સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવથી મંજુર થયેલ છે. ઉક્ત જગ્યા ઉપર નિમણુંક આપવા માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવા સારૂ પરિશિષ્ટ- 3 મુજબની લાયકાત ધરાવતા વકીલશ્રીઓ કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ પાંચ (5) વર્ષથી વધુ હોય અને ઉંમર પચાસ (50) વર્ષથી વધુ ન હોય તેવા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
ઉમેદવારોએ તેમની અરજીઓ આ સાથેના સામેલ નમુનામાં પોતાના લેટરપેડ ઉપર અથવા કોરા કાગળ ઉપર ભરીને તેમની જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ અને બાંહેધરી પત્રકની વિગતો ભરીને આ સાથે આગામી તારીખ 12/08/2024 સુધીમાં કચેરી સમય સાંજના 06:10 કલાક સુધીમાં અત્રેની કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો પરિશિષ્ટ- 1 માં જણાવ્યા અનુસાર લાગુ પડશે. તેમજ તેમણે બજાવવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓની વિગતો પરિશિષ્ટ- 2 મુજબ રહેશે. આ અંગે સરકારશ્રીના વખતો- વખતના હુકમોનું પાલન કરવાનું રહેશે. અરજીનો નમુનો તથા પરિશિષ્ટ- 1 થી 3, નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ અને બાંહેધરી પત્રક જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા, રૂમ નંબર 110, પહેલો માળ- આ સરનામાં પર કચેરી સમય દરમિયાન રુબરુ આવીને મેળવી લેવાનું રહેશે.
અધુરી વિગતની, સંદિગ્ધ અરજીઓ અને સુનિશ્ચિત મુદ્દત પસાર થયા બાદની મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. જે- તે ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, તો તેમણે સ્વખર્ચે આવવાનું રહેશે. અત્રે જણાવેલ તમામ બાબતોની તમામ ઈચ્છુક ઉમેદવારોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech