૫૦% અગ્નિવીરો થશે કાયમી: ચૂંટણીમાં નુકસાનના પગલે લેવાશે રાજકીય નિર્ણય

  • September 06, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકાર સશસ્ત્રો દળોમાં ભરતી માટે નવી અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારો કરવા વિચારી રહી છે. આ અંતર્ગત માત્ર વેતન અને લાયકાતની શરતોમાં જ નહીં પરંતુ સેનાની કાયમી સેવામાં અિવીરોનો હિસ્સામાં પણ વધારો થઈ શકે છે. રક્ષા મંત્રાલયના વરિ અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતુ કે, ચાર વર્ષની સેવા બાદ સેનામાં કાયમી કરવા માટેની અગ્નિવીરોની સંખ્યાની વર્તમાન મર્યાદા વધારીને ૫૦ ટકા કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
હાલમાં ૨૫ ટકાની નિર્ધારિત મર્યાદાને પણસૈન્યના નિષ્ણાતો અપૂરતી માને છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું માનવું છે કે, સેનાની જરિયાતોને ધ્યાનમાં રાખીને માત્ર એક ચતુથાશ અિવીરોને કાયમી કરવા એ પૂરતુ નથી. સેનાએ આંતરિક પ્રતિસાદ અને સર્વે બાદ આ મર્યાદા વધારીને અડધી કરવાની દરખાસ્ત કરી છે. ભાજપના આંતરિક અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, પાર્ટીએ ગત લોકસભા ચૂંટણીમાં તે બેઠકો પર વધુ ફટકો લાગ્યો હતો, યાં સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ સૌથી વધુ છે. એનડીએ સરકારમાં ભાજપના સાથી પક્ષોએ પણ આ યોજનાની સમીક્ષાની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, જો તે સરકારમાં આવશે તો તે અિપથ યોજનાને ખતમ કરી દેશે. આવી સ્થિતિમાં સરકાર પર આ યોજનામાં સુધારો કરવાનું દબાણ છે. જો કે, સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે તરત જ કોઈ મોટા ફેરફારો થશે નહીં, પરંતુ કેટલાક સુધારા થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application