'PM મોદી એ તમામ કામ કરી રહ્યા છે જે હનુમાનજીએ ત્રેતાયુગમાં કર્યું હતું' : હિમંતા બિસ્વા

  • March 14, 2023 07:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. તાજેતરમાં ચૂંટણી પંચના કમિશન રાજીવ કુમારે રાજ્યની મુલાકાત લીધી હતી અને માહિતી લીધી હતી. આ પછી તમામ રાજકીય પક્ષો સક્રિય મોડમાં આવી ગયા છે અને રાજ્યમાં ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. આ ક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ પ્રવાસ પર રહ્યા. તેમણે સોમવારે (13 માર્ચ) કોપ્પલ જિલ્લામાં લિંગાયત મઠની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું જેમાં સીએમ શર્માએ કહ્યું હતું કે, પીએમ મોદી એ જ બધું કરી રહ્યા છે જે ભગવાન હનુમાનજીએ ત્રેતાયુગમાં કર્યા હતા. કર્ણાટકમાં ખેડૂતોને લાભ મળી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકને ખૂબ આગળ લઈ લીધું છે. મને એ પણ જાણવા મળ્યું છે કે હનુમાનજીનો જન્મ કર્ણાટકમાં થયો હતો. આ સિવાય તેમણે વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું.


રાહુલ ગાંધી પર નિશાન સાધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “રાહુલ ગાંધી લંડનથી ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ ફરી એકવાર જીતશે. પીએમ મોદીએ કલયુગમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application