આદિત્ય-L1ની સફળતા પર PM મોદીએ ખાસ શૈલીમાં વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન

  • January 06, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ISRO એ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે...ભારતના પ્રથમ અવકાશ-આધારિત મિશન 'આદિત્ય એલ 1'ને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પાસે હેલો ઓર્બીટમાં મૂકવામાં આવ્યું છે. જ્યાંથી સૂર્ય પર નજર રાખશે જેથી તેની સપાટી પર થઈ રહેલી ગતિવિધિઓ, તેનું તાપમાન અને સૂર્યના ભડકવાને લગતી ગતિવિધિઓ સમજાય. દરમિયાન, આ સફળતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોની આ સફળતા માટે દેશને અભિનંદન પાઠવ્યા છે.


પીએમ મોદીએ તેમના સોશિયલ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી તેમણે કહ્યું, “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતની સૌપ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી આદિત્ય-એલ1 તેના સ્થાને પહોચ્યું છે. આ સૌથી જટિલ અને મુશ્કેલ અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અથાg સમર્પણનો પુરાવો છે. હું આ અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં રાષ્ટ્ર સાથે જોડાવ છું. અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું.


'આદિત્ય'ને લેગ્રેન્જ પોઈન્ટ 1 ની આસપાસ હેલો ઓર્બીટમાં મૂકવું એ એક મોટી સફળતા છે, કારણ કે અહીંથી સૌર ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર નજીકથી નજર રાખી શકાય છે. તેમજ તેને લગતી માહિતી પણ મેળવી શકાશે. તે જાણીતું છે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 એ પ્રદેશ છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય થઈ જાય છે.


આદિત્ય-L1 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યમંડળમાં સૂર્યની સપાટી પર થઈ રહેલી ગતિવિધિઓ, તેનું તાપમાન અને સૂર્યના ભડકા સાથે સંબંધિત પ્રવૃત્તિઓને સમજવાનો છે. આ ઉપરાંત, આપણે પૃથ્વીની નજીકના અવકાશમાં હવામાન સંબંધિત સમસ્યાઓ વિશે માહિતી મેળવવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસરોએ આ મિશન પર લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application