મહાપાલિકાની ચેમ્બર્સમાં વિવેકાનંદજીના ફોટો રાખી બેસતા ૪૯ કોર્પેારેટર પુષ્પાંજલિમાં ગેરહાજર રહ્યા

  • January 12, 2023 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં પોતાની ચેમ્બર્સમાં તેમજ ટેબલના કાચ નીચે સ્વામી વિવેકાનંદજીની મોટી તસવીરો રાખી બેસતા નગરસેવકો આજે આંતરરાષ્ટ્ર્રીય પતંગોત્સવમાં વિદેશી પતંગબાજોને નિહાળવા ઉમટી પડા હતા પણ વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા ફરકયા પણ ન હતા. ૧૮ વોર્ડના કુલ ૭૨ કોર્પેારેટરમાંથી મુખ્ય પદાધિકારીઓ સહિતના ૨૩ કોર્પેારેટર હાજર રહ્યા હતા, યારે અન્ય ૪૯ કોર્પેારેટરને નિમંત્રણ અપાયું હોવા છતાં આવ્યા ન હતા.




વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલીના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન અતુલભાઈ પંડીત, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પેારેટર અશ્વિનભાઈ પાંભર, ચેતનભાઈ સુરેજા, મગનભાઈ સોરઠીયા, સંજયસિંહ રાણા, દિલીપભાઈ લુણાગરીયા, સંદીપભાઈ ગાજીપરા, અલ્પેશભાઈ મોરજરીયા, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, રવજીભાઈ મકવાણા, નયનાબેન પેઢડીયા, કંચનબેન સિધ્ધપુરા, રાજેશ્રીબેન ડોડીયા, કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુંગશીયા, લીલુબેન જાદવ, અલ્પાબેન દવે, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા તેમજ ભાજપ અગ્રણી કિરણબેન માંકડીયા, અશોકભાઈ લુણાગરીયા, કાનાભાઈ ઉઘરેજા, નીતિનભાઈ ભૂત, હેમભાઈ પરમાર, ઘનશ્યામભાઈ કુંગશીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application