દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના અનુસંધાને જિલ્લાના આશરે ૨૫૦ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર અહીંના જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા અને મહામંત્રી અશોકભાઈ કરમુરની આગેવાની હેઠળ અગાઉના આંદોલનો સમયે સરકાર અને કર્મચારી મંડળ દ્વારા સમાધાન થયું હતું. પરંતુ સમાધાન મુજબ લાંબા સમયથી તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી.
જેમાં વર્ષ ૨૦૦૫ પહેલા ભરતીના કર્મચારીઓને જુની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તથા આ સમયથી ભરતીવાળા કર્મચારીઓને સી.પી.એફ.માં ૧૦ ટકા કપાત સામે સરકાર ૧૪ ટકા ફાળો આપશે જે અંગે સમાધાન થયું હોવા છતાં સરકાર દ્વારા અમલવારી કરવામાં આવી ન હોવાથી પુન: શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીને પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે અહીંના ધારાસભ્ય અને સાંસદને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech