બેટ દ્વારકામાં ડિમોલિશન અંગે આસામી દ્વારા કરવામાં આવેલી અરજી નામંજૂર

  • March 17, 2023 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેટ દ્વારકા ખાતે થોડા સમય પૂર્વે સરકારી તંત્ર દ્વારા ડિમોલીશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા આલીભાઈ આમદભાઈ ભમરા વિગેરે દ્વારા દ્વારકાની અદાલતમાં વચગાળાનો મનાઈ હુકમ મેળવવા અંગેની અરજી કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, દ્વારકા મામલતદાર, ઓખા નગરપાલિકા, જિલ્લા પોલીસ વડા, દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ ઓખાના પી.એસ.આઈ., અને પીજીવીસીએલ વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો હતો.


આ દાવામાં આલીભાઈ આમદભાઈએ વચગાળાનો મનાઈ હુકમ મળવા માટે અદાલતમાં અરજી કરી હતી. જે સંદર્ભે સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ, આર.એ. શેઠ તેમજ વી.એમ. પંચમતીયાની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વચગાળાના મનાઈ હુકમની અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો હતો.


પ્રતિવાદી તરીકે તરફે સરકારી વકીલ એ.એચ. વ્યાસ, આર.એ. શેઠ અને વી.એમ. પંચમતીયા રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application