જામકંડોરણા દેવીપૂજક સમાજ દ્વારા બોટાદમાં દીકરીના હત્યા મામલે આવેદનપત્ર

  • January 25, 2023 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદમાં દેવીપૂજક સમાજની માસૂમ દીકરી પર દુષ્કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારાને ફાંસીની સજા આપી ન્યાય આપવા અંગે જામકંડોરણામાં દેવીપૂજક સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માગ કરેલ છે કે ગત તા.૧૫ના રોજ બોટાદ ગરીબ પછાત દેવીપૂજક સમાજની ૯ વર્ષની માસૂમ દીકરી કપાયેલ પતંગ પાછળ દોડી રહેલ તે સમયે બાળકીને નરાધમે લલચાવી-ફોસલાવી બોટાદના ઢાંકણિયા રોડ ઉપર આવેલ આઈટીઆઈ પાછળ ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ખંઢેર કવાર્ટરમાં લઈ જઈ બાળકી પર પાશ્વી દુષ્કૃત્ય કરી મોતને ઘાટ ઉતારેલ છે.
​​​​​​​
 બાળકી સાથેના આ કમકમાટીભર્યા દુષ્કૃત્ય અને હત્યાના કારણે સમાજમાં આક્રોશ વ્યાપેલ છે. આ અમાનવીય બનાવમાં માસૂમ બાળકીના બળાત્કારી અને હત્યારા વિ‚ધ્ધ નિષ્પક્ષપણે અને ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનામાં પકડાયેલ આરોપી સામે ન્યાયિક સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી દોષીતોને ફાંસીની સજાની માગ કરવામાં આવેલ છે. 
આ રેલી તથા આવેદનપત્ર આપતી વેળાએ મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના ભાઈઓ, યુવાનો અને બહેનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application