પતંજલિની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. પોતાની આયુર્વેદિક દવાઓને લઈને થઈ રહેલા દાવાઓને કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિશાન બનાવવામાં આવેલી પતંજલિને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. આ વખતે પતંજલિની સોન પાપડી ટેસ્ટમાં ફેલ થઈ ગઇ છે. પતંજલિ નવરત્ન એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ થતાં પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે એક સહાયક મેનેજર સહિત પતંજલિ આયુર્વેદ લિમિટેડના ત્રણ કર્મચારીઓને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે ત્રણ કર્મચારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે ત્રણેય કર્મચારીઓને અનુક્રમે રૂ. 5000, રૂ. 10,000 અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે. પતંજલિ આયુર્વેદ દ્વારા તૈયાર કરવામાં આવેલી સોનપાપડીનું ઉત્તરાખંડના રુદ્રપુરમાં સ્થિત પરીક્ષણ પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2019માં, એક ખાદ્ય નિરીક્ષકે પિથોરાગઢના બેરીનાગ મેઈન માર્કેટમાં આવેલી લીલાધર પાઠકની દુકાનમાં વેચાતી સોન પાપડીની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી, દુકાનમાંથી સેનપાપડીના નમૂના લેવામાં આવ્યા હતા અને કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર, રામનગર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વારને નોટિસ મોકલવામાં આવી હતી.
ડિસેમ્બર 2020માં, રુદ્રપુર ટેસ્ટિંગ લેબોરેટરીએ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને નોટિસ મોકલીને ગુણવત્તા પરીક્ષણમાં સોનપાપડીની નિષ્ફળતા વિશે માહિતી આપી હતી. આ પછી આ મામલે દુકાનદાર લીલાધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષ સુધી આ કેસની સુનાવણી બાદ હવે પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ નિર્ણય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech