જામજોધપુરમાં લકવાગ્રસ્ત મહિલાનું ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ

  • August 21, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના પંચવટી સોસાયટીમાં રહેતા અને લકવાની બીમારીથી પીડાતા વયોવૃદ્ધ મહિલાનું પોતાના ઘેર પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.


 જામજોધપુરમાં ઉમાપાર્ક, પંચવટી સોસાયટીમાં રહેતા વર્ષાબેન ધીરજભાઈ સવસાણી નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા છેલ્લા કેટલાક સમયથી લકવાની બીમારીથી પીડાતા હતા. દરમિયાન તેઓ ગઇકાલે પોતાના ઘરમાં આવેલા ભૂગર્ભ પાણીના ટાંકામાંથી પાણી ભરવા જઈ રહ્યા હતા.


જે દરમિયાન અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિપેશ ધીરજભાઈ સવસાણીએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application