@aajkaalteamજેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. તે ઘડી આખરે આવી ગઇ છે. પીએમ મોદી હાથમાં ચાંદીની છત્રી લઇને રામમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. આ સાથે જ રામ ભગવાનની મનોહર મૂર્તિની ઝલક જોવા મળી હતી. તેમજ પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. સમગ્રપણે વિધિ વિધાન સાથે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. આ વેળા મંદિર પરિસરનો નજારો ખૂબ જ અદૂભત છે. ભક્તોમાં હરખ છવાયો છે. સમગ્ર માહોલ રામમય થઇ ગયો છે.
ગર્ભગૃહની અંદરનો નજારો ખૂબ જ અદભૂત છે. અહીં ભગવાનની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત પૂજારીગણ પીએમ મોદીના હસ્તે ધાર્મિક વિધિ કરાવી રહ્યા છે. આ વેળા રધુપતિ રાધવરાજા રામ પતિ તપાવન સીતા રામ ભજનથી રામ મંદિર પરિસરનો માહોલ ધર્મમય થઇ ગયો હતો. આ વેળા આરએસએસના સ્વયંસેવક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ અને સાધુ સંતો પણ પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છે. આ વેળા પીએમ મોદીએ રામ ભગવાનની આરતી પણ કરી હતી.
આપને જણાવી દઇએ કે અભિનેતા, રાજનેતા, સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આ સમારોહનો હિસ્સો બની ધન્યતા અનુભવી રહ્યા છે. રામ ભગવાનની મનમોહક મૂર્તિ નિહાળી સૌ કોઇ આનંદની લાગણી અનુભવી રહ્યું છે. ત્યારે દેશવાસીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ માટે અનેરી ખુશી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech