પીએમ મોદી હાથમાં ચાંદીની છત્રી લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા, શરૂ થઇ વિધિ

  • January 22, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteamજેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. તે ઘડી આખરે આવી ગઇ છે. પીએમ મોદી હાથમાં ચાંદીની છત્રી લઇને રામમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. આ સાથે જ રામ ભગવાનની મનોહર મૂર્તિની ઝલક જોવા મળી હતી. તેમજ પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. સમગ્રપણે વિધિ વિધાન સાથે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. આ વેળા મંદિર પરિસરનો નજારો ખૂબ જ અદૂભત છે. ભક્તોમાં હરખ છવાયો છે. સમગ્ર માહોલ રામમય થઇ ગયો છે.


ગર્ભગૃહની અંદરનો નજારો ખૂબ જ અદભૂત છે. અહીં ભગવાનની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત પૂજારીગણ પીએમ મોદીના હસ્તે ધાર્મિક વિધિ કરાવી રહ્યા છે. આ વેળા રધુપતિ રાધવરાજા રામ પતિ તપાવન સીતા રામ ભજનથી રામ મંદિર પરિસરનો માહોલ ધર્મમય થઇ ગયો હતો. આ વેળા આરએસએસના સ્વયંસેવક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ અને સાધુ સંતો પણ પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છે. આ વેળા પીએમ મોદીએ રામ ભગવાનની આરતી પણ કરી હતી.


આપને જણાવી દઇએ કે અભિનેતા, રાજનેતા, સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આ સમારોહનો હિસ્સો બની ધન્યતા અનુભવી રહ્યા છે. રામ ભગવાનની મનમોહક મૂર્તિ નિહાળી સૌ કોઇ આનંદની લાગણી અનુભવી રહ્યું છે. ત્યારે દેશવાસીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ માટે અનેરી ખુશી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application