વધુ એક ત્વચા દાન : રાજકોટમાં મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોએ કઠિન સ્થિતિમાં કર્યો નિર્ણય, સિવિલ હોસ્પિટલમાં કર્યું સ્કીન ડોનેશન

  • September 12, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે, જે અન્વયે હાલમાં જ મૃત્યુ પામેલા એક મહિલાની ત્વચાનું દાન કરાયું છે.
    

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર. એસ.ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, દક્ષાબહેન વિનોદકુમાર કોટક પાંચમી સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામ્યા હતા. મહિલાના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાનનો નિર્ણય કર્યો હતો. આથી દક્ષાબહેનના પુત્ર વિપુલભાઈ કોટકે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કરતાં સ્કીન બેન્કની ટીમે તેમના ઘરે પહોંચી સ્વ.દક્ષાબહેનની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.
    

મહત્વનું છે કે, આ સ્કીન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓ ઝડપથી રીકવર થશે. તથા આ સ્કીનનો ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસિંગ માટે પણ ઉપયોગ કરી શકાશે.
    

પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા મોનાલી માકડિયા સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application