વેરાવળમાં વધુ એક બાળકનું મોત, હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ

  • April 04, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના ભીડિયા વિસ્તારમાં રહેતા ડાલકી પરિવારના બે બાળકોના અગાઉ મૃત્યુ થયેલ હતા, જેમાં ત્રીજી બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયેલ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજેલ છે. 
જયારે હજુ બે બાળકોના મૃત્યુ થયેલ તેના પીએમ રિપોર્ટ આવેલ નથી.


વેરાવળના ભીડિયા વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે બાળકોના કોઈ કારણોસર મૃત્યુ નીપજેલ હતા તે સમયે માતા અને દીકરી શ્રધ્ધા ઉ.વ.૫ને પણ ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ જયાંથી બાળા શ્રધ્ધાની હાલત વધુ ખરાબ હોવાથી રાજકોટ ખસેડલ ત્યાં તેનું મૃત્યુ નીપજેલ છે.
​​​​​​​
પ્રભાસપાટણ પી.આઈ. મકવાણાએ જણાવેલ કે રાજકોટ ડોકટર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે નિમોનિયા થયેલ હતો અને ફેફસામાં પાણી ભરાઈ ગયેલ હતું જેથી હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયેલ છે. જામનગર બે બાળકોના પીએમ માટે તેમને જણાવેલ કે હજુ સુધી કોઈ પણ જાતના રિપોર્ટ આવેલ નથી ત્રણેય માસૂમ બાળકોના મૃત્યુ થતાં ભીડિયા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application