ભારત સરકાર દ્વારા ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ગત વર્ષે જામનગર શહેરના નગરજનોએ ખુબ જ બહોળા પ્રતિસાદથી રાષ્ટ્રધ્વજને પોતાના ઘર, દુકાન, ઓફીસ, કારખાના તેમજ તમામ સરકારી કચેરીઓ, ખાનગી તથા સરકારી શાળાઓ, ખાનગી તથા સરકારી દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ એમ વ્યક્તિગત તથા જાહેર મિલકત પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવેલ છે.
ત્યારે ફરીથી આ વર્ષે પણ આ ઓગસ્ટ માસ દરમ્યાન આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી સમગ્ર દેશમાં થનાર છે અને તેનું સમાપન તા.૩૦-૦૮-૨૦૨૩ના રોજ દિલ્લીના કર્તવ્ય પથ પર થવાનું હોય ત્યારે જામનગર મહાનગરપાલિકાના માન. મેયર તથા માન કમિશ્નર દ્વારા પુન જામનગર શહેરના નગરજનોને પોતાની વ્યક્તિગત તેમજ જાહેર મિલકત પર ગત વર્ષે વિતરણ થયેલ રાષ્ટ્રધ્વજને તેમની ગરિમા જળવાય તે પ્રમાણેના સરકારી પ્રોટોકોલ મુજબ આ જાહેર અપીલ પ્રસિદ્ધ થયે થી તરત જ સમગ્ર ઓગસ્ટ માસ દરમ્યાન રાષ્ટ્રધ્વજ લેહેરાવીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં સૌ ઉત્સાહ ભેર જોડાઈને સમગ્ર શહેરમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને ભારત દેશની સ્વત્રતા મેળવવાના સંગ્રામમાં શહીદ થનાર વીરોને અંજલી આપવાના અવસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને યોગદાન આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech