સિક્કામાં ૩૭ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

  • October 25, 2023 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર અને જિલ્લામાં હૃદય રોગ ના કારણે મૃત્યુના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, દરમિયાન ગઈકાલે સિક્કા ગામના વધુ એક ૩૭ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જેથી ચિંતા પ્રસરી છે.



જામનગર તાલુકાના સિક્કા ગામમાં મારૂતીનગર, એસ.કે. ગાંધી કોલોની વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયવંતસિંહ બળવંતસિંહ વાળા નામના ૩૭ વર્ષના યુવાનને પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


મૃતકના મોટાભાઈ મહેન્દ્રસિંહ બળવંતસિંહ વાળાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે  મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુના બનાવ વધી રહયા છે, ખાસ કરીને નાની વયે હાર્ટએટેક આવવાથી યુવાનો સહિતના ભોગ બની રહયા છે જેના કારણે ચિંતાની લાગણી પ્રસરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application