ન્યારી–૨ ડેમના દરવાજા બધં કરતા રાત્રે ત્રીજી વખત છલોછલ ભરાયો

  • August 10, 2023 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ન્યારા ગામ નજીક આવેલો ન્યારી–૨ ડેમ ચાલુ ચોમાસે સતત ત્રીજી વખત છલોછલ ભરાયો છે. અગાઉ બે વખત ઓવરલો થઇ ગયો હોય ડેમના દરવાજા ખુલા રાખવામાં આવ્યા હતા જે તાજેતરમાં બધં કરાતા ગત રાત્રે ફરી ૦.૩૩ ફટ નવા નીરની આવક શ થતા આજે સવારે ડેમ ૨૦.૭૦ ફટની પૂર્ણ સપાટીએ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે અને હવે એક જોરદાર વરસાદ વરસે તે સાથે જ ડેમ ત્રીજી વખત ઓવરલો થશે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી ૬૫ ડેમ ઓવરલો થઈ ચૂકયા છે અને ૧૭ ડેમ હજુ ઓવરલો થવાના બાકી છે. એકંદરે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદનો વિરામ છે તેમ છતાં ગત મહિને ઓવરલો થયા હોય તેવા ૩૯ ડેમ હજુ પણ ઓવરલો થઈ રહ્યા છે તેમજ હજુ ચોમાસાના બે મહિના બાકી હોય સપાટી મેઇન્ટેઇન કરવા અનેક ડેમના દરવાજા પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત સવારે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યે સુધીમાં ફકત ત્રણ ડેમમાં આવક નોંધાઇ છે જેમાં ન્યારી–૨માં ૦.૩૩ ફટ, માલગઢમાં ૦.૧૬ ફટ અને મચ્છુ–૨માં ૦.૦૩ ફટની આવક થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application